May 12th 2008

આચાર્ય કિરીટભાઈજીની કથા

પૂજ્ય પાદ્ આચાર્ય કિરીટભાઈજીના સાનિધ્યમાં તારીખ ૦૪-૦૫-૨૦૦૮ થી તારીખ ૧૨-૦૫-૨૦૦૮ દરમ્યાન પંજીમ, ગોવામાં ઉધ્ધવ ગીત ઉપર યોજાયેલ કથા આસ્થા ચેનલ ઉપર લાઈવ ટેલીકાસ્ટ થતી હતી. સદર કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રોને અહીં પ્રસાદી રુપે વહેંચતાં આનંદ અનુભવું છું.

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાધન પ્રાપ્ય છે, જ્યારે આધ્યાત્મ સાધન પ્રાપ્ય નથી પણ અનુગ્રહથી આવે, કૃપાથી જ આવે.
જ્ઞાનાનો હેતું જાણવાનો છે કે હું કોણ છું.જીવનનો હેતું જીવનમાં શું કરવાનું છે તે છે.
ફક્ત શક્તિથી જ યુધ્ધ ન જીતી શકાય, શક્તિની સાથે સાથે તેનો યુક્તિ પૂર્વક ઉપયોગ જ યુધ્ધ જીતાડી શકે.
બુધ્ધિમાન એ છે જે આજને જ અંતિમ દિવસ માને છે, કાલનો ભરોંસો નથી રાખતો.
મંત્ર, મૂર્તિ,માળા ને બદલવા ન જોઈએ. મહાત્માને-ગુરુને પણ બદલવા ન જોઈએ.

ભક્તિ એ અંતિમ વસ્તું - final product છે. આ અંતિમ પદાર્થ પેદા થવાની પ્રક્રિયામાં - processing-જે બીજા સહયોગી પરિબળો છે તે નીચે મુજબ છે.
૧   દાન - આપણે આપણી ઈચ્છાઓનું દાન કરવું જોઈએ, ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. ઈચ્છા જ માણસને ક્રિયાશીલ રાખે છે. ગોપીઓએ તેઓની ઈચ્છાઓનો ત્યાગ કર્યો એટલે તેમને ભક્તિ પ્રાપ્ત થઈ.
૨   વ્રત - વ્રત કરવાથી વૃત્તિઓ શાંત થાય. ગોપીઓનું વ્રત ગીતાને, ગીતાના કથનને હદયમાં રાખવાનું છે.વેદો અને ઉપનિષદોનો સાર ગીતામાં છે.
૩    સેવા - ઠાકોરજીની સેવા
૪   હોમ - હોમ, હવન કરવા,યજ્ઞ વિ. કરવા.
૫   જપ - નામ જપ કરવા.
૬   સ્વાધ્યાય - સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, હું કોણ છું, આત્માના કલ્યાણ માટે શું કર્યું વિ. નું અધ્યયન.
૭    સંયમ - સંયમ એટલે ઈચ્છા રુપી ઘોડા ઉપર લગામ રાખવી, ઈચ્છાઓને કાબુમાં રાખવી. જે ઈન્દ્રીયોને કાબુમાં રાખે, તેના ઉપર અંકુશ રાહે તે જ ગોપી કહેવાય.
સમાધિ અને નિદ્રામાં મન શાંત થઈ જાય છે.પણ નિદ્રામાં બુધ્ધિ જાગ્રત હોય છે.જ્યારે સમાધિમાં તો બુધ્ધિ પણ શાંત થઈ જાય છે.જ્યાં સુધી વિચારો આવ્યા કરે ત્યાં સુધી નિદ્રા ન આવે, વિચારો બંધ થાય તો જ નિદ્રા આવે.
તમે એક કદમ કનૈયા તરફ જશો તો કનૈયો દશ કદમ તમારી તરફ આવશે.
સાધક એ છે જે બીજાનું કાર્ય કોઈ પણ જાતની અપેક્ષા વિના સિધ્ધ કરે.
સંત એ છે જે સતનું આચરણ કરતાં કરતાં પોતાને શૂન્ય કરી દે. જે વ્યક્તિ સતનું આચરણ કરતાં કરતાં પોતાને શૂન્ય કરી દે છે ત્યારે તેનું તે શૂન્ય સ ઉપર લાગતાં સંત બની જાય છે.
મુનિ એ છે જે મનને જાણે, મનને સમજે તેમજ મનને સમજાવી પણ શકે.
તમે પાપ ન કરો તો તમે નિષ્પાપી જરુર છો પણ સારા માણસ નથી. સારા વ્યક્તિ બનવા માટે સારાં કાર્યો કરવા પડે.
ઋષિ એ છે જે કોઈનામાં પણ કોઈ જ જાતનો હસ્તક્ષેપ નથી કરતો,દુનિયા જેમ ચાલે છે તેમ ચાલવા દે છે અને તે પોતે પોતાનામાં જ મગ્ન રહે છે.

RELIGION CAN BE TAUGHT BUT SPIRITUALITY CAN NOT BE TAUGHT. કોઈ પણ વ્યક્તિને ધર્મનું શિક્ષણ આપી શકાય, ધર્મ શીખવાડી શકાય, પણ તેને આધ્યાત્મ ન શીખવાડી શકાય.

આધ્યાત્મ તો જો પરમાત્માનો અનુગ્રહ થાય તો જ સમજી શકાય.
ધર્મ સમૂહ માટે છે પણ આધ્યાત્મ તો વ્યક્તિ માટે છે.
જ્ઞાનમાં જો ભક્તિ રુપી જલ ન હોય તો તે જ્ઞાન પાષાણ સમાન છે.જ્ઞાની પણ ભક્ત હોય છે. જ્ઞાની, કર્મ કાંડી, યોગી બધાને પરમ પ્રેમની જરુર હોય છે.
બીજાને બરબાદ કરી કોઈ આબાદ ન બની શકે.
બધાના આશીર્વાદ લો, કોઈની ય બદ દુવા ન લો, હાય ન લો.
લક્ષ્મી બહું જ ચંચળ હોય છે. લક્ષ્મી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. લક્ષ્મી તો નારાયણની સહચારિણી છે, તેમની જ છે. ધરતી પણ વિષ્ણુ પત્ની છે.
ગીતા સંપ્રદાયીક ગ્રંથ નથી, પણ મોહ નાશક ગ્રંથ છે.

વ્રજ રજનો મહિમા અદભૂત છે.
ચરણથી ચરણ રજ અધિક મહિમાવંત છે.
ચરણ રજનો મહિમા છે, ચરણ સ્પર્શનો મહિમા નથી.
આપણે બધાને આપણા માટે, આપણા લાભ કે સ્વાર્થ માટે પ્રેમ કરીએ છીએ, જ્યારે ગોપી પરમાત્મા માટે પરમાત્માને પ્રેમ કરે છે.ગોપીઓની નિતિત્ રિતિ, પ્રિતિ પરમાત્મા માટે છે.
લક્ષ્યથી મન ડામાડોળ થાય એટલે વિઘ્ન આવે જ.
આપણી પાસે જે હોય તે જ આપણે બીજાને આપી શકીએ. આપણી પાસે પ્રેમ હોય તો જ તે આપણે બીજાને આપી શકીએ, બીજાને પ્રેમ કરી શકીએ.
ગોપીને કૃષ્ણ મળી ગયા પછી બીજા કશાની જરુર નથી. ગોપી પોતાનામાં જ સ્થિર થઈ ગઈ છે.
આપણે પદાર્થને પ્રેમ કરીએ છીએ, પણ પરમાત્માને પ્રેમ નથી કરતા. વ્યક્તિ વસ્તુંને પ્રેમ કરવાને બદલે વ્યક્તિને પ્રેમ કરે તો પણ ઘણું સારું પરિણામ મળે.પ્રેમ જો કરવો જ હોય તો પરમાત્માને પ્રેમ કરો. કારણ કે પરમાત્મા પ્રેમ નિભાવી જાણે છે.પ્રેમ એટલે ભક્તિ.
સાચા પ્રેમમાં દોષ ન હોય, દોષ જોવાના પણ ન હોય.આપત્તિ સમયે સાચો પ્રેમ વધું ગાઢ બને છે. પણ પ્રેમથી વિશ્વને તેમજ વિશ્વંભરને જીતી શકાય. લૌકિક પ્રેમમાં પ્રિયતમ મળ્યા પછી પ્રેમ ફિક્કો પડી જાય છે.અલૌકિક પ્રેમ જો સંયોગનો હોય કે વિયોગનો હોય, તેમાં કદી ય ફિકાશ ન આવે.લૌકિકે પ્રેમ કાં તો વ્યક્તિ સાથે હોય કે વસ્તું સાથે હોય.પ્રેમ અધિકાર કે આજ્ઞાથી ન મેળવી શકાય, તે તો અનુગ્રહથી જ મેળવી શકાય.
કૃષ્ણ ચરિત્ર સાંભળવાથી આપણા વિચારોમાં પરિવર્તન આવે છે, આપણા નકારાત્મક વિચારો દૂર થાય છે.
નાણાથી ગરીબ ભલે હો પણ વિચારોથી ગરીબ ન બનો, ઉમદા વિચારો ધરાવો. 
અજાણતા થયેલ સતસંગ પણ કલ્યાણ જ કરે.અમૃતને ન જાણનાર જો અમૃત પી જાય તો પણ અમૃત તેને અમર કરે જ.

May 9th 2008

પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા

પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ના નામે પણ જાણીતા છે.પૂજ્ય ભાઈશ્રી શ્રી મદ્ ભાગવદ્ ની કથાના પ્રવક્તા છે તેમજ ઘણી વખત શ્રી રામ ચરિત માનસની કથા પણ કહે છે.
તેઓના માર્ગ દર્શન હેઠળ પોરબંદરમાં શ્રી સાંદિપની વિધ્યાનિકેતન નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં વેદ અને ઉપનિષદ આધારિત સુંદર  અભ્યાસક્રમો ચાલે છે. આ વિષેની વિશેષ માહિતિ તેમની વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. તેમની વેબ સાઈટનું નામ http://www.sandipani.org છે.તેમની વેબ સાઈટ ઉપર આપણું ઈમેઈલ સરનામુ રજીસ્ટર કરાવવાથી તેમનો સંદેશ તેમજ વિક્લી સૂત્રની માહિતિ મળે છે. આમ આપણને જીવનમાં ઉપ્યોગી સુંદર સૂત્રો તેમજ સંદેશ મળે છે.
 તેમની કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલા વિચારો, સૂત્રો તેમજ અન્ય માહિતિ અહી પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

હનુમાન જયંતિ નિમિત્તે ફિરિજાબાદમાં એપ્રિલ ૨૦૦૮માં યોજાયેલ રામ કથા  દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીએ રજુ કરેલું એક ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.
બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક રુપિયો છે. હવે જો તે બંને તેમની પાસેના આ એક એક રુપિયાનું આદાન પ્રદાન કરે એટલે કે એક વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો બીજી વ્યક્તિને આપે અને બીજી વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો પહેલી વ્યક્તને આપે તો તે પછી પણ બંને વ્યક્તિ પાસે એક એક રુપિયો તો રહે જ. બંનેની સ્થિતિમાં કોઈ જ ફેરફાર ન થાય.
હવે બીજી બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક સદવિચાર છે તેમજ તે બંને સદવિચાર જુદા જુદા છે. હવે જો આ બંને વ્યક્તિ તેમની પાસેના આ સદવિચારનું આદાન પ્રદાન કરે તો તે પછી બંને વ્યક્તિ પાસે બે બે સદવિચારની મૂડી ભેગી થાય. બંનેના સદવિચારોમાં વૃધ્ધિ થાય. આમ ધનનું આદાન પ્રદાન કરવાથી તેમાં વૃધ્ધિ થતી નથી પણ સદવિચારોના આદાન પ્રદાનથી સદવિચારોની વૃધ્ધિ થાય છે.

પરમાત્મા સત્ ચિત આનંદ સ્વરુપ છે. તેના રમાવતારમાં સત્ ગુણની પ્રધાનતા છે, કપિલ, વ્યાસ, દત્તાત્રય વિ. અવતારમાં ચિત ગુણની પ્રધાનતા છે જ્યારે કૃષ્ણાવતારમાં આનંદ ગુણની પ્રધાનતા છે.

ભારતમાં પાંચ નાથ, ચારે દિશામાં એક એક તેમજ મધ્ય ભાગમાં એક એમ પાંચ નાથ બિરાજમાન છે. ઉત્તર દિશામાં બદરીનાથ, દક્ષિણ દિશામાં રંગનાથ, પશ્ચિમ દિશામાં દ્વારકાનાથ અને પૂર્વ દિશામાં જગન્નાથ તેમજ મધ્ય ભારતમાં શ્રીનાથજી બિરાજમાન છે.

May 3rd 2008

રામ કથા, માનસ અમૃત ભાગ - ૨

રામ કથા
માનસ અમૃત ભાગ - ૨
પ્રવક્તા - પૂજ્ય મોરારી બાપુ
તારીખ ૨૬  એપ્રિલ ૨૦૦૮ થી તારીખ ૪ મે ૨૦૦૮
કલ્યાણ આશ્રમ ( મહંત પૂજ્ય શ્રી હેમંતદાસ )
કલાનૌર, જિ - રોહતક, હરિયાણા

મુખ્ય ચોપાઈ

                   શ્રવનામૃત જેહિં કથા સુહાઈ
                                            કહી સો પ્રગટ હોતિ કિન ભાઇ .
                                                                  સુંદરકાંડ પાન - ૮૧૦

                   પ્રભુ બચનામૃત સુનિ ન અઘાઊં
                                             તનુ પુલકિત મન અતિ હરષાઊં .  

                                                                  ઉત્તરકાંડ  પાન - ૧૧૧૦

પૂજ્ય મોરારી બાપુની માનસ અમૃત ભાગ-૨ રામ કથા સંસ્કાર ચેનલ ઉપર લાઈવ ટેલીકાસ્ટ થતી હતી. આ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. 

ગોસ્વામી તુલસીદાસજી વિનય પત્રિકામાં સાંસારિક જીવનના વ્યવહારમાં સુખી થવા માટેની ચાવી વર્ણવે છે. આ માટે નીચેની ચાર રીતે વર્તવું જોઈએ, તે પ્રમાણે અમલ કરવો જોઈએ.
        ૧     સમ એટલેકે સમાજમાં સમાનતા આવવી જોઈએ.
        ૨     સત્ય એટલે કે સત્યનો સ્વીકાર કરવો જોઈએ.
        ૩     સમજ એટલે કે સમજણ પૂર્વક વર્તવું જોઈએ જેથી સંતોષ મળે.
        ૪    વિવેક પૂણ રીતે બીજાને સાંભળવા જોઈએ.       

આપણું ઉદર ઉદધિ છે, સમુદ્ર છે.  અને તેમાં અમૃત છુપાયેલું છે. અમૃતની સાથે સાથે તેમાં ઝેર પણ સમાયેલું છે.
ઉદરમાં આત્મા રુપી અમૃત સમાયેલું છે. આત્મા અમૃત છે તેથી જ આત્મા અમર છે. આપણે અમૃતના સંતાનો છીએ તેથી આપણામાં આપણા માબાપના ગુણ હોવા જ જોઈએ. માબાપના જીન્સ તેના સંતાનમાં આવે જ.

સાધકે એટલું ધ્યાન રાખવાનું છે કે ચેતન ઉપર જડનું પ્રભુત્વ ન થઈ જાય.
આપણે બીજાના દુઃખથી દુઃખી થઈએ છીએ પણ બીજાના સુખથી સુખી નથી થતા પણ તેમાં પણ દુઃખી જ થઈએ છીએ.      

આત્મા અમૃત છે. આત્માના આ અમૃતને પામવા માટેના નીચે પ્રમાણેના ચાર રસ્તા છે.
૧  સત્યનો આશ્રય
                  નિત્ય સત્યનો આશ્રય કરનાર આત્માને મેળવી શકે છે.
           તેથી જ તો આપણે કહીએ છીએ કે
                           અસતો મા સત ગમય
                                               તમસો મા જ્યોતિર્ ગમય.
૨   તપ
                   આત્માની પ્રાપ્તિનો માર્ગ તપ છે. તપથી પાર્વતી માતાને શંકરની પ્રાપ્તિ     થાય છે.
            મનુ શત્રુપાને રામની પ્રાપ્તિ તપ દ્વારા થાય છે. તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન તેમને ત્યાં પુત્ર રુપે પ્રગટ થાય છે.
            તપથી હંમેશાં સુખ જ મળે, દુઃખ ન મળે.
            મૌન પણ એક તપનો જ પ્રકાર છે.
૩  સમ્યક જ્ઞાન
                   સમ્યક જ્ઞાનથી અમૃતની પ્રાપ્તિ થઈ શકે.
૪  બ્રહ્મચર્ય
                    નિત્ય સંયમી જીવન જીવવાથી આત્મારુપી અમૃત મળે. બ્રહ્મચર્ય એટલે સંયમી જીવન.

રામ ચરિત માનસમાં અમૃત શબ્દ સાત વાર આવે છે, જ્યારે અમૃતના પર્યાય વાચક શબ્દો ૮૬ ~ ૮૭ વખત આવે છે.
વિનય પત્રિકામાં અમૃત શબ્દ ૨૭ વખત આવે છે.
ભગવદ્ ગીતામાં અમૃત શબ્દ ૧૧ વખત આવે છે.

જે રામ નામ જપે છે તે તપસ્વી  છે, તે તપસ્વી બની જાય છે.
નામ જપમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ સમાઈ જાય છે.
હરિ નામ એ જ આહાર એવું નિંબારકીય પરંપરામાં માનવામાં આવે છે. 

ભક્તિ અમૃત છે.
જ્ઞાન અમૃત છે.
મોક્ષ અમૃત છે.
પરમ પ્રેમ અમૃત છે.

બોધ ઈન્દ્રીયો દ્વારા પ્રાપ્ત થાય છે.
કંઈ પણ ક્રિયા કર્યા સિવાય, એકાંતમાં સહજ બેસવાથી જે આભાસ થાય છે  તેને પ્રતિબોધ કહે છે. આવા પ્રકારના આભાસની અનુભૂતિ પ્રતિબોધની યાત્રાની શરુઆત છે. પ્રતિબોધ એટલે આત્મા તરફ પ્રયાણ, આત્મા તરફ ગતિ.

મંથન કરીએ એટલે અમૃત નીકળે જ.
મંથનના ઘણા પ્રકાર છે, જેવા કે મનોમંથન, દેહ મંથન, બૌધિક મંથન, સમુદ્ર મંથન, સમાજ મંથન. મનોમંથન, દેહ મંથન, બૌધિક મંથન, સમુદ્ર મંથન, સમાજ મંથન વિ. કરવાથી અમૃત નીકળે.

દરેક આશ્રમમાં એક ધર્મશાળા, ગૌ શાળા, પાઠ શાળા, ભોજન શાળા, વ્યાયામ શાળા, સંગીત કે નૃત્ય શાળા હોવી જોઈએ.

માતૃ શરીરમાં ઈશ્વરની સાત વિભૂતિઓ સમાવિષ્ઠ છે, તેથી સ્ત્રી ભ્રૂણની હત્યા કરવાથી ઈશ્વરની આ સાત વિભૂતિઓની હત્યા થાય છે.

સીતા માતા ધરતીમાંથી ઉત્પન્ન થયાં છે. તે ધરતીનું અમૃત છે.

હાથનો  સ્પર્શ આસક્તિ પેદા કરે છે, જ્યારે ચરણ સ્પર્શ ભક્તિ પેદા કરે છે. ચરણ સ્પર્શનો મહિમા અદ્ ભૂત છે. અત્યંત પવિત્ર ચરણના ચરણ સ્પર્શ અધિક મહિમાવંત છે.

વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને લઈને જનક રાજાએ યોજેલ ધનુષ્ય યજ્ઞમાં ભાગ લેવા માટે જાય છે. વિશ્વામિત્ર ઋષિ વિચારે છે કે તેમનો યજ્ઞ તો પૂર્ણ થયો હવે જનક રાજાનો યજ્ઞ પણ પૂર્ણ થવો જોઈએ.
ભગવાન રામ આ યજ્ઞમાં શંકર ભગવાનના ધનુષ્યને મધ્ય ભાગમાંથી તોડી જનક રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે છે અને જાનકીને પામે છે.
ભગવાન રામના આ ધનુષ્યને મધ્ય ભાગમાંથી તોડવાની ઘટનાના સંતોએ અનેક અર્થ કર્યા છે.જે પૈકી કેટલાક અર્થ નીચે પ્રમાણે છે.
     ધનુષ્યનો મધ્યનો ભાગ મજબૂત ભાગ હોય છે. તેથી બીજા રાજાઓની આલોચનાને અવકાશ ન રહે તેથી મજબૂત ભાગ-મધ્ય ભાગમાંથી ધનુષ્ય ભંગ કર્યો છે.
     ભગવાન રામે ધનુષ્ય મધ્ય સભામાં તોડયું છે.
સ્વર્ગ લોક, મૃત્યુ લોક અને પાતાળ લોકમાંથી મધ્યના મૃત્યુ લોકમાં ધનુષ્ય ભંગ થયો છે.
     દેવ, માનવ અને દાનવ પૈકીના મધ્યના માનવ રુપે પ્રગટેલા રામે ધનુષ્ય તોડ્યું છે.
     ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ આ ત્રણ કાળ પૈકીના વર્તમાન કાળમાં ધનુષ્ય ભંગ થયો છે. અહંકારનું ધનુષ્ય વર્તમાન કાળમાં જ તોડાય.
     અગ્નિવંશ, સૂર્ય વંશ અને ચન્દ્ર વંશ પૈકીના સૂર્ય વંશમાં પ્રગટેલા રામે ધનુષ્ય તોડ્યું છે અગ્નિ વંશના રામ પરશુરામ છે, સૂર્ય વંશના રામ ભગવાન રામચન્દ્ર છે અને ચન્દ્ર વંશના રામ બલરામ છે.
     રામનું પ્રાગટ્ય મધ્યાન્હે થયું છે તેથી ધનુષ્ય ભંગ પણ મધ્યાન્હે થયો છે.
બચપણ, યુવાની અને બુઢાપાની અવસ્થા પૈકીના મધ્યના યુવાનીના મધ્ય કાળમાં ધનુષ્ય ભંગ થયો છે.
     રામ, લક્ષ્મણ અને સીતામાં રામ મધ્યમાં છે તેથી ધનુષ્ય મધ્ય ભાગેથી તોડ્યું છે.
     લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય રંગ છે. લક્ષ્મણ તેમના સ્વભાવ અનુસાર ગુસ્સથી લાલ રહે છે. જાનકીજી કનક વર્ણા છે, પીળા રંગે છે. જ્યારે રામજી શ્યામ વર્ણા છે. તેથી મધ્યના વાદળી રંગના-શ્યામ વર્ણના રામે મધ્ય ભાગેથી ધનુષ્ય તોડ્યું છે.
     રામે ધનુષ્ય પગથી નથી તોડ્યું, મસ્તકના સહારે નથી તોડ્યું પણ મધ્યના કટી ભાગના સહારે તોડ્યું છે. કટી ભાગ સંયમનું પ્રતીક છે. રામે સંયમથી ધનુષ્ય તોડ્યું છે.
     રામે ધનુષ્ય ગુરુની કૃપાથી ગુરુવારના દિવસે તોડ્યું છે. ગુરુવાર અઠવાડિયાનો મધ્યનો વાર છે. તેથી મધ્યમાંથી તોડ્યું છે. 
 

વેદ અમૃત છે. ઋગ્વેદ, સામવેદ વિ. વેદો પુષ્પ છે અને અમૃત તેનો રસ છે.
નીચે દર્શાવેલ પાંચ વસ્તુ અથવા તે પૈકીની કોઈ પણ એક વસ્તુ જ્યાં હોય ત્યાં અમૃત હોય. આ પાંચ વસ્તુ અમૃત રસ છે.

        ૧   યશ - કિર્તિ
        ૨   તેજ - પ્રકાશ
        ૩   ઐશ્વર્ય - દૈવી વૈભવ, આંતરિક વૈભવ
        ૪   શક્તિ - વિશેષ પ્રકારની શક્તિ
        ૫   અન્ન - અનાજ

માણસના ત્રણ પ્રકાર હોય છે.
        ૧    આર્ટ સ્પેશિયાલિસ્ટ - આવા પ્રકારના માણસોમાં કોઈક પ્રકારની કલા હોય  છે, તેમજ તે તેની તે કલામાં નિપૂણ હોય છે. કલા પ્રભુની વિભૂતિ છે. સાચો કલાકાર પોતાની ભૂલનો સહજ સ્વીકાર કરે.પોતાની ભૂલ સ્વીકારવામાં કોઈ પણ જાતનો સંકોચ ન અનુભવે. જે ભૂલ સ્વીકારે તે તેની ભૂલ સુધારી તેની સાધનામાં પ્રગતિ કરે. જે કલાકર કલાનો ખોટો આંચળો ઓઢીને રહે છે તે પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતો તેમજ તે તેની સાધનામાં પ્રગતિ પણ નથી કરી શકતો.
         ૨   હાર્ટ સ્પેશિયાલિસ્ટ - આવા પ્રકારના માણસો હદય પ્રધાન હોય છે, ભાવ પ્રધાન હોય છે.
        ૩    કૉર્ટ સ્પેશિયાલિસ્ટ - આવા પ્રકારના માણસો કાયમ તકરાર જ કર્યા કરે, તકરાર કર્યા સિવાય તેને ચાલે જ નહિં.

નીચે દર્શાવેલ ૬ પ્રસંગે-સમયે તકરાર ન કરવી. પણ તેનો અર્થ એવો નથી થતો કે આ ૬ સમય સિવાયના પ્રસંગોએ-સમયે તકરાર કરવી.
        ૧   ભોજન સમયે તકરાર ન કરવી.
        ૨    જ્યારે બહાર જવાનો પ્રસંગ હોય ત્યારે તકરાર ન કરવી.
        ૩    જ્યારે બહારથી ઘેર આવીએ ત્યારે તકરાર ન કરવી.
        ૪   ભજનના સમયે તકરાર ન કરવી.
        ૫   રાત્રે સુવાના સમયે તકરાર ન કરવી.
         ૬   સવારે જાગીને તરત જ તકરાર ન કરવી.
 

April 29th 2008

મોરારી બાપુની રામ કથા , લીમડી

રામ કથા
લીમડી, સૌરાષ્ટ, ગુજરાત
તારીખ ૫ એપ્રિલ ૨૦૦૮ થી તારીખ ૧૩ એપ્રિલ ૨૦૦૮

                 જૌં મો પર પ્રસન્ન સુખરાસી,
                                                    જાનિઅ સત્ય મોહિ નિજ દાસી.
                  તૌ પ્રભુ હરહુ મોર અગ્યાના,
                                                   કહિ રઘુનાથ કથા બિધિ નાના.

                                                           બાલકાંડ દોહા - ૧૦૮, પાન-૧૫૫

હે સુખના ભંડાર, જો આપ મારા પર પ્રસન્ન છો અને ખરેખર મને આપ પોતાની દાસી માનો છો તો હે પ્રભુ મારું અજ્ઞાન શ્રી રઘુનાથજીની અનેક વિધ કથાઓ કહીને દૂર કરો.
આવું મા પાર્વતી ભગવાન શિવજીને કહે છે.

પૂજ્ય મોરારી બાપુની લીમડીની રામ કથા ઉપરોક્ત દોહાને પ્રધાન રુપે રાખી રામ કથાનું દર્શન છે.

પૂજ્ય મોરારી બાપુની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં જે આવ્યું છે તેના કેટલાક અંશ અહી પ્રસ્તુત કરતા મને આનંદ થાય છે. સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની માનસ પ્રાર્થના કરી માફી માગી લઊં છું કે અહી પ્રસ્તુત વિચારો આપની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં જે આવ્યું છે તે પ્રમાણે છે. તેમાં જે કંઈ ક્ષતિ હોય તો તે મારી સમજણનો અભાવ છે.

April 24th 2008

બાલાસિનોરની શૈક્ષણિક સંસ્થાઓ અને મારા શિક્ષક મહાનુભાવો

બાલાસિનોરમાં ૧૯૬૩ના વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ આપતી એક જ હાઈસ્કૂલ હતી. આ હાઈસ્કૂલનું નામ ધી કૉરોનેશન હાઈસ્કૂલ હતું.

ધી કૉરોનેશન હાઈસ્કૂલના ધોરણ ૮ થી એસ.એસ.સી (ધોરણ ૧૧) સુધીના મારા અભ્યાસ કાળ દરમ્યાન મારા જીવનના ઘડતરમાં તેમજ મારી કારકીર્દીમાં મારા ઘણા શિક્ષકોનો ફાળો અમૂલ્ય રહ્યો છે. જે પૈકીના કેટલાક મહાનુભવોના નામ નીચે પ્રમાણે છે.
શ્રી વિરેન્દ્ર એફ્. મહેતા -આચાર્ય
શ્રી શશીકાન્તભાઈ કડકીયા - આચાર્ય
શ્રી ગોરધનભાઈ બી. પટેલ - આચાર્ય
શ્રીમતી વિરમતીબેન મોદી - આચાર્ય
શ્રી જયંતિભાઈ બી.  ભાવસાર
શ્રી પંડિતજી
શ્રી પ્રભુદાસ ડી.પટેલ
શ્રી બિહારીભાઈ સી.શેઠ
શ્રી શંકરભાઈ દરજી
શ્રી તલાટી
શ્રી અયાચીત

શ્રી ગૌરીશંકર ત્રીવેદી
શ્રી મલેક ચાચા
શ્રી શેખ ચાચા

શ્રી જે.એમ.શાહ

દિવ્યકાન્તભાઈ
હરિભાઈ ઉપાધ્યાય
મૂળશંકરભાઈ ઉપાધ્યાય
રાવજીભાઈ પટેલ (નાયલોન)
રાવજીભાઈ પટેલ (સીપીએડ)
અરવિંદભાઈ પટેલ
નવિનભાઈ પટેલ
મોહનભાઈ પટેલ
પ્રભાકરભાઈ સુથાર
નવિનભાઈ અમીન
મુકુંદચાચા
અરુણભાઈ શાહ

શ્રી જોષી

પ્રાથમિક શાળાના મારા અભ્યાસ કાળ દરમ્યાનના મારા કેટલાક શિક્ષક સાહેબો પૈકીના કેટલાક મહાનુભાવોના નામ નીચે પ્રમાણે છે.
શ્રી મગનભાઈ ત્રિવેદી
શ્રી ઈબ્રાહિમભાઈ ર.વહોરા
શ્રી પ્રભાકર સુથાર
અન્ય મહાનુભાવો જેમના પાસેથી મેં શિક્ષણ મેળવ્યું છે તે પૈકી નીચેના મહાનુંભાવોનો ફાળો અમૂલ્ય રહ્યો છે.
શ્રી હરિપ્રસાદ શુક્લ
શ્રી ચતુરકાકા

 હાલમાં બાલાસિનોરમાં શ્રી બાલાસિનોર કેળવણી મંડળ સંચાલિત બે માધ્યમિક શાળાઓ છે.
      ૧ શ્રી ઑચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ
        (ધી કૉરોનેશન હાઈસ્કૂલનું નામ બદલી શ્રી ઑચ્છવલાલ   શેઠ હાઈસ્કૂલ નામ        રાખવામાં આવ્યું છે.)
          ૨ શ્રી પુનમચંદ વૈધરાજ વિધ્યાલય ગર્લ્સ હાઈસ્કૂલ
        ઊચ્ચતર શિક્ષણ માટે આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ છે.
        આઈ ટી આઈ કૉલેજ પણ છે.

April 22nd 2008

SOME INTERESTING LINKS TO BALASINOR

http://www.balasinor.org/  The site of The Balasinor Navayuvaka Sangh

http://www.indiatravelite.com/accommodations1/gardenpalacebalasinor.htm Site for the reservation of Garden Palace at Balasinor

http://www.indianautographs.com/productdetail-220105.html

http://www.ahmedabad.com/news/1999/oct/nov/24jurasic.htm

http://www.ahmedabadcity.com/tourismtest/php/archaelogy_balasinor.php

http://www.uq.net.au/%7Ezzhsoszy/ips/b/balasinor.html

http://stores.ebay.com/covers-gandhi_REVENUE-FISCALS_BALASINOR_W0QQfsubZ11545720QQfrsrcZ1

http://www.fotw.us/Flags/in-balas.html Flag for Balasinor Princely State

http://www.4dw.net/royalark/India/balasin.htm site related to Brief History of The Babi Dynasty

http://rkmvbalasinor.com/  website of Rastriya Kala Maha Vidyalaya

http://balasinor.net/mainframe.htm http://balasinor.net/photo.htm showing some landmark pictures of Balasinor

  

April 21st 2008

ગુરુનો તેના શિષ્યને છેલ્લો ઉપદેશ

તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલી છે, જેમાં ગુરુ - પિતા તેના સ્નાતક શિષ્યને તેનો વિધ્યાભ્યાસ પુરો થયા પછી વિદાય વેળાએ છેલ્લો ઉપદેશ આપે છે. આ ઉપદેશ નીચે પ્રમાણે છે.
         સદા સત્ય બોલજે.
         સદા ધર્માચરણમાં સ્થિર રહેજે.
         સત્યમાં પ્રમાદ કરતો નહિં.
         ધર્મમાં પ્રમાદ કરતો નહિં.
         સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં પ્રમાદ કરતો નહિં.
         ભણવામાં અને ભણાવવામાં પ્રમાદ કરતો નહિં.
         માતાને તેમજ પિતાને દેવ માનજે.
         ગુરુને દેવ માનજે.
         અતિથિને દેવ માનજે.
         સત કર્મ કરજે, દુષ્કર્મથી દૂર રહેજે.
          પિતૃઓ તૃપ્ત થાય તેવા કાર્યો કરજે.
          શક્તિ પ્રમાણે દાન દેજે અને જે દાન કરે તે શ્રધ્ધા રાખી દેજે,     અશ્રધ્ધા રાખી ન આપીશ. નમ્રતા રાખી દેજે, ઘમંડ રાખીને દાન કરીશ નહિં.
          સત્ચરિત્ર થજે.
          જ્ઞાનની ભૂખ રાખજે.
           હું બધું જાણી ચૂક્યો છું એવું મનમાં કદી ન આણતો. તેમજ  જ્ઞાનનો પ્રકાશ જ્યાંથી પણ મળે ત્યાંથી મેળવજે.
          આશાવાન થજે.
          દ્રઢ મનોબળવાળો થજે.
         બળવાન થજે.
         આખી પૃથ્વી તારી છે, તારા માટે એ વિત્તથી ભરેલી છે એમ સમજજે.
         અન્નનો બગાડ ન કરીશ. અન્નની નિંદા ન કરીશ. અન્નની વૃધ્ધિ કરવાનો સંકલ્પ કરજે.
          રોજ રાત્રે સુતા પહેલાં વિચાર કરજે કે મેં આજે કરવા જેવું શું ન કર્યું અને ન કરવા જેવું શું કર્યું.
 

April 21st 2008

DAUGHTER

Each letter in the word Daughter represents remarkable meaning,

where

D represents dashing,

A represents ambitious,

U represents understanding,

G represents gentle,

H represents honest,

T represents trustworthy,

E represents energetic and

R represents  responsible

i.e. to say that a duaghter is dashing,ambitious, understanding, gentle, honest, trustworthy,energetic and responsible.  

April 17th 2008

બાલાસિનોર, શ્રી કેદારેશ્વર મહાદેવ અને વ્હાલા વાડશોલની વિતેલી વાતોને વાગોળતાં

બાલાસિનોર એ ખેડા જિલ્લાનો એક તાલુકો છે અને બાલાસિનોર તેનું તાલુકાનું ગામ અને મુખ્ય મથક છે. બાલાસિનોર ૨૨.૯૫૦૦ અક્ષાંશ, ૭૩.૩૩૩૩ રેખાંશ અને દરિયાઈ સપાટીથી ૨૩૯ ફૂટ ઊંચાઈએ આવેલું છે. બાલાસિનોર, વાડાશિનોર તરીકે પણ ઓળખાય છે. ત્યાં જુના વખતમાં વડલાના ઘણાં વૃક્ષો  હતા. તેના ઉપરથી વડના શહેર એટલે કે વાડાશિનોર નામ તરીકે જાણીતું આ ગામ ગામઠી ભાષામાં વાડશોલ તરીકે પણ ઓળખાય છે. આ ઊપરાંત શ્રી નટવરભાઈ મોદી “વાડશોલના વડલેથી” નામનું અખબાર પણ પ્રકાશીત કરતા હતા.

ગામની નજીક આવેલી ડૂંગરોની હાર માળા કૂદરતી સૌન્દર્યનો ખજાનો છે. ડૂંગર ઉપર શ્રી કેદારેશ્વર મહાદેવનું પ્રખ્યાત શિવાલય આવેલું છે. આ શિવાલય એક ઐતિહાસિક સ્થાન છે. અહીં ભગવાન ભોળા નાથનું સ્વયંભૂં શિવ લીંગ છે.

હું શ્રી કેદારેશ્વર મહાદેવ ઉપર અપાર શ્રધ્ધા ધરાવું છું. શ્રી કેદારેશ્વર દાદા અમારા ઈષ્ટ દેવ છે અને હું અને અમારા સૌ સ્નેહી જન તેને કેદાર દાદા તરીકે ગણી પ્રસંગો પાત્ યાદ કરી પૂજન અર્ચન કરી અમારું ઋણ અદા કરીએ છીએ.

બાલાસિનોરમાં ઘણાં શિવાલય આવેલાં છે. મોઢેશ્વર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, આપેશ્વર મહાદેવ, ભીમભમરડા મહાદેવ, દેવ ડૂંગરીયા મહાદેવ, શિવ શંભું મહાદેવ વિગેરે શિવાલય જાણીતાં છે. જ્યારે શ્રી કેદારેશ્વર મહાદેવ બધા શિવાલયોમાં શિરમોર છે.
સંકટ મોચન હનુંમાનજી મંદિર અદભૂત છે. ખાખીબાવાનું હનુંમાનજીનું મંદિર પણ છે. અંબા માતાજીનું ભવ્ય મંદિર સલિયાવડી દરવાજા બહાર આવેલું છે. ગામમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર, શ્રી રામજી મંદિર તેમજ બીજા નાના નાના મંદિર પણ આવેલાં છે.
જનોડમાં સ્વયંભૂ કેદારેશ્વર પણ આવેલું છે.
બાલાસિનોર ગામના નાગરિકોએ ભારતની આઝાદીમાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. અડાસ રેલ્વે સ્ટેશન પાસે બાલાસિનોરના શહિદોનું શહિદ સ્મારક છે. આ શહિદોમાં શ્રી તુલસીદાસ મોદી, શ્રી કાન્તિલાલ પરીખ અને શ્રી—-ની ખાંભી આપણને આઝાદીના આ લડવૈયાઓની યાદ કરાવે છે.

બાલાસિનોરમાં શ્રી તુલસીદાસ મોદીની યાદગીરીમાં “તુલસીદાસ મહોલ્લો” નામનું ફળીયું છે તેમજ શ્રી કાન્તીલાલ પરીખની યાદગીરીમાં “કાન્તીલાલ પરીખ પબ્લિક પાર્ક” નામનો બાગ છે.

April 13th 2008

વિણેલાં મોતી

  • જે શરીરથી કામ કરે છે તે મજુર છે, જે મગજથી કામ કરે છે તે કારીગર છે,પણ જે હદય સાથે રાખી કામ કરે છે તે કલાકાર છે.
  • ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.
  • કોણ કેટલું જીવ્યો તેનું મહત્વ નથી પણ કેવું જીવ્યો તેનું મહત્વ છે.
  • ભૂતકાળ વટાવી લીધેલા ચેક જેવો છે, એથી એ કોઈ કામનો નથી, ભવિષ્યકાળ પ્રોમિસરી નોટ જેવો છે, જેથી તેની પાકતી તારીખની રાહ જોવી પડે છે. જ્યારે વર્તમાન કાળ જ આપણા હાથમાં છે અને તેથી જ ફક્ત તેનું જ મહત્વ છે. વર્તમાન કાળને અંગ્રેજીમાં પ્રેઝંટ ટેન્સ કહે છે. ખરેખર વર્તમાન કાળ આપણને મળેલી અમૂલ્ય પ્રેઝંટ - ભેટ - છે.
  • કોઈ મુશ્કેલી વગરનો રસ્તો જો તમે શોધી શકો તો તે રસ્તો ક્યાંય જતો નહિં હોય.
  • ખુદમાંથી ખુદા બનવા માટે ખુદમાંના દ ને કાનો લગાડવાની જરૂર છે. કાનો લગાડવો એટલે કાના સાથે - કહાના- કનૈયા સાથે -સંબંધ જોડવો. આમ કહાના સાથે સંબંધ જોડવાથી ખુદમાંથી ખુદા બની શકાય.
  • પરમાત્માની પ્રતિક્ષા કરવાની હોય, પરીક્ષા કરવાની ન હોય
  • પ્રાર્થનામાં જે માગશો તે મળશે, પણ તે માટે પ્રાર્થનામાં વિશ્વાસ રાખવો પડશે.
  • ધીરજ, ધર્મ, સ્ત્રી અને મિત્રની સાચી ઓળખ કપરા સમયે જ થાય છે.
  • સફળ અને નિષ્ફળ લોકો પાસે સમય તો એક સરખો જ હોય છે, પણ સફળ લોકો તેનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને સિધ્ધિના શિખરે પહોંચે છે……શિવ ખેરાનું
  • લંગડો પોતાની આધાર લાકડી  દુશ્મન સામે લડવામાં ન ભાગે તેમાં જ એનું ડહાપણ રહેલું છે….ખલીલ જિબ્રાન
  • “આ નો  ભદ્રો  ક્રતવો  યન્તુ  વિશ્વતઃ”…….ઋગ્વેદ
                    ઉમદા વિચારો બધી જ દિશાઓમાંથી આપણી અંદર આવવા દો.
  • નાનું સરખું ફૂલ જો દૂર સુધી સુગંધ ફેલાવી શકે, નાનકડા કોડિયામાં પ્રગટેલી વાટ જો દૂર સુધી પ્રકાશ પ્રસરાવી શકે તો માનવીની પ્રતિમા શું ન કરી શકે?
  • મા બાપને સોને ન મઢાવાય તો ય ચાલે, હીરે ન મઢાવાય તો ય ચાલે પણ તેની આંતરડી તો ન જ કકળાવાય.
  • તેં જ્યારે ધરતી ઉપર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતા પિતા તારી પાસે હતાં. માતા પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે.
  • તું નાનો હતો ત્યારે મા ની પથારી ભીની રાખતો. મોટો થયો ત્યારે મા ની આંખડી ભીની રાખે છે. રે…પુત્ર મા ને ભીનાશમાં રાખવાની તને ટેવ પડી છે!
  • બા, પહેલાં આંસુ આવતાં ને તું યાદ આવતી, આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
  • સંસારની બે કરુણતા છે, મા વિનાનું ઘર અને ઘર વિનાની મા.
  • એક કિલોની દૂધી ચાર કલાક ઊંચકી રાખતાં તારો હાથ દૂખી જાય છે, તો મા એ નવ નવ મહિના સુધી પેટમાં તને કેવી રીતે રાખ્યો હશે તે વિચારજે.
  • જે દીકરાના જન્મ સમયે મા બાપે પેંડા વહેંચ્યા, એ  જ દીકરાએ મોટા થઈ મા બાપને વહેંચ્યા. આ હ …કેવી કરુણતા!
  • જે દિવસે મા બાપ તમારી પાસે રડે છે, તે દિવસે તેમના આંસુમાં તમારો કરેલો ધર્મ અને પૂણ્ય ધોવાઈ જાય છે.
  • જો તમે સુખી હો તો એ તમારા પૂણ્ય થકી નહિં, પણ મા બાપની મૂંગી આશિષ થકી છો તેમ માનજો. તમારા પૂણ્ય કર્મનો હિસાબ તો જ્યારે લખાશે ત્યારે લખાશે, આજે તો તમારા માતા પિતાનું જીવન તમારા પૂણ્યની ખૂલ્લી કિતાબ છે.
  • ઉપર જીસકા અંત નહિં ઉસે આસમા કહતે હૈ, જહાંમે જીસકા અંત નહિં ઉસે “મા” કહતે હૈ.
  •                 પિતાજીની ઝૂંપડી મધ્યે
                                                    પાંચ પુત્રો વસી શકે.
                    પુત્રોના પાંચ મહેલોમાં
                                                    પિતા કદી સમાય કે  ?
                                                      ………………..કવિ ચંપકલાલ વ્યાસ

  • અજ્ઞાન અને અવિધ્યા જેટલા જોખમકારક છે તેથી વધું જોખમકારક અનાઘિકારી ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું ભૂલ ભરેલું અથવા ગેર રસ્તે દોરનારું જ્ઞાન છે.

  • મહાન ફ્રેન્ચ નિબંધકાર મોન્ટેન કહે છે કે જીવનનું સાચું તત્વ જ્ઞાન એક જ છે અને તે છે સારી રીતે મરવાની કળા. પણ સારી રીતે જીવ્યા વિના સારી રીતે મરાતું નથી. એટલે કે સારી રીતે મરવાની કળામાં સારી રીતે જીવવાની કળાનો સમાવેશ થઈ જ જાય છે.

  • હું લાખ વાર બોલીશ તો પણ જેને સમજવું જ નથી તે નહિં જ સમજે તેમજ જેને સમજવું છે તે તો મારા બોલ્યા વિના પણ સમજી જશે…….ભગવાન બુધ્ધ

  • પાડો જન્મથી મૃત્યુ પરયંત પાડો જ રહે છે. જે પરિવર્તનશીલ નથી તે બધા આ શ્રેણીના માણસો છે.

  • પશુ, પંખી વિ. ને પશુ કે પંખી થવાનું કહેવાની જરુર નથી પડતી પણ માણસને કહેવું પડે છે કે તું માણસ થા, માણસ બન.

  • પરમાત્માએ મનુષ્ય અને પશુની રચના કરી છે. પરમાત્માએ મનુષ્યને સીધો બનાવ્યો છે જ્યારે પશુને આડા બનાવ્યા છે. પણ વક્રતા એ છે કે સીધો મનુષ્ય આડો- વાંકો ચાલે છે જ્યારે આડા પશુ સીધા ચાલે છે.

Next Page »